જસદણમાં ઠાકોરજીની જાનમાં નરેશ પટેલ: બળદગાડાની લગામ પકડી - At This Time

જસદણમાં ઠાકોરજીની જાનમાં નરેશ પટેલ: બળદગાડાની લગામ પકડી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં રવિવારે રૂક્ષ્મણી અને ઠાકોરજીના વિવાહ પ્રસંગે ખોડલધામના પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશભાઈ પટેલ ખાસ ઊપસ્થિત રહ્યાં હતાં શહેરમાં ચિત્તલિયારોડ પર આવેલ પટેલવાડીમાં છાયાણી પરિવારના પૂર્વજોની યાદમાં ભાગવત કથા ચાલી રહી છે તે કથામાં રવિવારે રૂક્ષ્મણી અને ઠાકોરજીના વિવાહનો પ્રસંગ હોય આ અવસરે શહેરના ખોડીયાર મંદિરેથી હીરપરા પરિવાર દ્વારા ઠાકોરજીની જાન નીકળી હતી જેમાં શણગારેલા બળદગાડાની લગામ નરેશ પટેલના હાથમાં હતી આ તકે હકડેઠઠ મેદની વચ્ચે કથા શ્રવણ કરી હતી અત્રે નોંધનીય છે કે જસદણમાં છાયાણી અને હીરપરા પરિવાર લેઉવા પટેલ સમાજના સૌથી મોટો પરિવાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.