આજરોજ શ્રી એસ એસ ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢમાં ધોરણ 8 ના બાળકો નો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યું - At This Time

આજરોજ શ્રી એસ એસ ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢમાં ધોરણ 8 ના બાળકો નો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યું


આ કાર્યક્રમમાં ધોરણ 8 ના બાળકો માંથી ઘણા બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું અને શાળાના શિક્ષકો વિશે અભિપ્રાય પણ રજૂ કરવામાં આવ્યા
આજના કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સથવારા દ્વારા આ કાર્યક્રમ વિશે બાળકોને માર્ગદર્શન આપવામા આવ્યું અને ધોરણ આઠના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી પોતાનું પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરે તે વિશે બાળકોને જણાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બધા બાળકો ભાવવિભોર થઈ ગયા અને છેલ્લે બાળકો એ શાળાને ભેટ પણ આપી
કાર્યક્રમ પૂર્ણ થતાં બધા બાળકોની ફરમાઈશ થી શાળાના તમામ બાળકોને પાણીપુરી પણ ભર પેડ પીરસવામાં આવી
આમ અમારો આ કાર્યક્રમ ખૂબ જ આનંદથી પૂર્ણ થયો

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.