પાળીયાદમાં અંબાજી સત્સંગ મંડળ દ્વારા 25 મણ કુતરાના લાડુ બનાવવાનું આયોજન - At This Time

પાળીયાદમાં અંબાજી સત્સંગ મંડળ દ્વારા 25 મણ કુતરાના લાડુ બનાવવાનું આયોજન


પાળીયાદમાં અંબાજી સત્સંગ મંડળ દ્વારા 25 મણ કુતરાના લાડુ બનાવવાનું આયોજન

બોટાદ જિલ્લાના પાળીયાદ તાલુકા માં અંબાજી સત્સંગ મંડળ દ્વારા 25 મણના લાડુ બનાવી અને શેરી વિસ્તાર તેમજ ગામમાં ફરતા કુતરાઓને ખવડાવી પુણ્યદાન કરવાનું કાર્ય કરેલ છે, તેમજ ગાયો ને લીલી નીરણ ખવડાવવામાં આવેલ છે તેમજ પારેવાની જુવાર નાખવાનું પણ આયોજન કરી પુન્ય નું કામ કરવામાં આવેલ છે અને આ સેવામાં તમામ ગ્રામજનો તેમજ દરેક જ્ઞાતિઓના બહેનો દ્વારા આ અન્નદાન અને પુન્ય દાન કરવામાં આવ્યું ત્યારે ખુબ મોટી સંખ્યામાં બહેનો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવા જ ધર્મના કાર્યો કરતા રહીએ તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આમ પાળીયાદ ગામે આવેલ અંબાજી સત્સંગ મંડળ ની બહેનો દ્વારા ખૂબ જ મોટી સેવા અને પુણ્યનું કામ કરવામાં આવેલ છે ત્યારે લોકોને પણ આવા પુણ્ય ના કામ કરવાની અપીલ કરવામાં આવેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.