મહીસાગર લુણાવાડા પાલીતાણા નવીન એસટી બસ શરૂ કરવામાં આવી - At This Time

મહીસાગર લુણાવાડા પાલીતાણા નવીન એસટી બસ શરૂ કરવામાં આવી


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લુણાવાડા થી પાલીતાણા નવી 2 x 2 AC કોચ બસ ચાલુ કરવામાં આવી જેનું શ્રીફળ વધેરી તથા લીલી ઝંડી આપી ઉદ્દઘાટન કર્યું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લુણાવાડા થી પાલીતાણા નવી 2 x 2 AC કોચ બસ શરૂ કરવામાં આવી. આ બસ નું ઘાટન પંચમહાલ લોકસભા સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ દ્વારા શ્રીફળ વધેરી તથા લીલી ઝંડી આપી કરવામાં આવ્યું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ તથા લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુભાઈ શાહ, જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ બારીયા, તાલુકા પંચાયત સભ્ય અજયભાઈ દરજી, ડેપો મેનેજર શ્રી જાગૃતિબેન ગણાવા ST વિભાગ દિનેશભાઈ, જીગા ભાઈ દરજી, Ati સિદ્ધરાજ સિંહ સીસોદીયા, તેમજ જૈન સમાજના અગ્રણી સુરેશભાઈ શાહ મંથનભાઈ દોશી, રાજભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં. સમગ્ર જૈન સમાજ દ્વારા સરકારશ્રી નો આભાર માન્યો હતો.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહિસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.