થોરાળામાં પાણીની મોટર ચાલુ કરતા તરૂણીને વિજશોક લાગ્યો, પડોશી યુવતીએ બચાવવા જતાં વીજકરંટથી મોત - At This Time

થોરાળામાં પાણીની મોટર ચાલુ કરતા તરૂણીને વિજશોક લાગ્યો, પડોશી યુવતીએ બચાવવા જતાં વીજકરંટથી મોત


રાજકોટના થોરાળાના મનહર સોસાયટી-1માં રહેતી પુજા મનોજભાઈ જાદવ (ઉ.વ.22) ગઇકાલે તેના ઘરે હતી ત્યારે તેમની બાજુમાં આવેલ ચુનારવાડ-2માં રહેતી સગીરા તેના ઘરે ગઈ હતી ત્યારે ત્યાં પાણીની મોટર ચાલુ હતી તેમાં હાથ અડી જતાં વિજ-શોક લાગતા તે મોટર સાથે ચોંટી ગઈ હતી. જેને તે માંથી છોડાવવા ગયેલ પુજાબેનને જોરદાર વિજ-કરંટ લાગતાં બંન્ને ફંગોળાઈને પટકાયા હતાં. જેમને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જયાં પુજાબેન જાદવનું ચાલુ સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમમાં ખસેડયો હતો. મૃતક પુજાના છુટાછેડા થયેલ હતા અને તે પિતાના ઘરે રહેતી હતી તે બે ભાઈ બહેનમાં મોટી હતી. જેમના ભાઈનું દસ માસ પહેલા મોત થયેલ હતું. હવે પુત્રીના પણ મોત થતાં પરીવાર પર આભ તુટી પડયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.