અમદાવાદ ના નારણપુરા માં ૧૧ કુંડી ગાયત્રી માતા મહાયજ્ઞ સાથે ૩૫ મો દિવ્ય જ્યોત નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અમદાવાદ ના નારણપુરા માં ૧૧ કુંડી ગાયત્રી માતા મહાયજ્ઞ સાથે ૩૫ મો દિવ્ય જ્યોત નું આયોજન કરવામાં આવ્યું


તા:-૦૮/૦૧/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના નારણપુરા માં ૧૧ કુંડી ગાયત્રી માતા મહાયજ્ઞ સાથે ૩૫ મો દિવ્ય જ્યોત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર ના સભ્યો આ યજ્ઞ ને દિવ્ય જ્યોત ના દર્શનનો લાભ લીધો હતો

૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન રામ જ્યોત સોસાયટી,ભાવિન સ્કૂલ સર્કલ પાસે,
નારણપુરા ખાતે ૩૫ મો દિવ્ય જન્મોત્સવ શ્રી સંજયસાઈ લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં સૌ પરિચિતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જ્યારે આયુર્વેદિક ઉકાળાના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું.યજ્ઞમાં પુસંવન જેવા વૈદિક સંસ્કારો કરાવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત રહેલાં સૌને નિ:શુલ્ક ગાયત્રી મંત્ર લેખન નોટબુક્સ,સાહિત્ય વહેંચવામાં આવ્યું હતું હાજર રહેલા સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.