બાલાસિનોરમાં કમળ ની જીત થતા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી લોકમાગ - At This Time

બાલાસિનોરમાં કમળ ની જીત થતા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી લોકમાગ


વર્ષ 2002 પછી 2022 માં ભાજપની જીત થઈ છે

ભાજપના 20 વર્ષના વનવાસ બાદ 2022 માં જંગી લીડ થી ભાજપની જીત

બહુમતી સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી લોક લાગણી

મહીસાગર ની 3 બેઠકોના તાજેતરમાં પરીણામ જાહેર થયા છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં રાજયના મંત્રી મંડળની રચના કરશે. ઉમેદવારોએ લાંબિંગ શરૂ કરી દીધું છે. ત્યારે આ વખતના રાજ્યના મંત્રીમંડળમાં બાલાસિનોર વિધાનસભાને સ્થાન મળે તેવી બાલાસિનોર બેઠકના મતદારોની આશા સાથે માંગ છે. કોંગ્રેસનો ગઢ વિધાનસભામાં 2002 માં ભાજપ આવી હતી. ત્યારે બાદ 2022 ફરી એકવાર માનસિંહ ચૌહાણ 52000 મતોની લીડથી જીત હાસિલ કરતા આ વિસ્તારના નેતાને મંત્રી પદનું સ્થાન મળે એવી મતદારોની માગ છે. વીરપુર, બાલાસિનોર અને કપડવંજ તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવા તેમજ વીરપુર તાલુકાના યુવાનો રોજગાર માટે GIDC ની સૌથી મોટી માગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.