આજે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી પુષ્પાંજલિ અર્પણ કરાઇ - At This Time

આજે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી પુષ્પાંજલિ અર્પણ કરાઇ


આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રિય એકતાના પ્રતીક,લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તેમજ આર્યન લેડી તરીકે ઓળખાતા પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીના બલિદાન દિવસ નિમિત્તે હોટેલ ગેલોર્ડ ખાતે પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર શહેર OBC ચેરમેન યુવરાજ રાવ, પરેશભાઇ શુક્લ,રાજુભાઈ ગોહેલ,રહિમભાઈ મહેતર,દેવ મકવાણા કીરીટસિહ મોરી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.