રાજકોટના આનંદ એવન્યુ વિસ્તારમાં બે ખૂંટિયા જંગે ચડ્યા, આખલાયુદ્ધથી પ્રજા ત્રસ્ત છતાં તંત્ર મૌન - At This Time

રાજકોટના આનંદ એવન્યુ વિસ્તારમાં બે ખૂંટિયા જંગે ચડ્યા, આખલાયુદ્ધથી પ્રજા ત્રસ્ત છતાં તંત્ર મૌન


રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે, ત્યારે તંત્ર માટે પરેશાનીરૂપ સ્થિતિ નિર્માણ પામી રહી છે. તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રખડતા ઢોરે અડફેટે લીધા હતા તેમજ પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં પણ રખડતાં ઢોર ઘૂસ્યાં હતાં. ત્યારે આવી જ એક ઘટના રાજકોટના આનંદ એવન્યુ વિસ્તારમાં બની. જ્યાં બે દિવસ પૂર્વે બે ખૂંટિયા જંગે ચડ્યા હતા. આ આખલાયુદ્ધ થી બન્ને એપાર્ટમેન્ટના ડેલા સાથે અથડાયા હતા. જેના કારણે ડેલો પણ તૂટી ગયો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.