ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા ભડિયાદ દરગાહ ખાતે દાદાના મજાર શરીફ ઉપર ચાદર પોશી કરવામાં આવી - At This Time

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા ભડિયાદ દરગાહ ખાતે દાદાના મજાર શરીફ ઉપર ચાદર પોશી કરવામાં આવી


ભડિયાદ ઉર્ષ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય દ્વારા દરગાહની મુલાકાત લીધી.
ગુજરાતભરમાં કોમી એક્તાનાં પ્રતિક સમાન પીર મહેમુદશાહ બુખારીની દરગાહ - અમદાવાદ જિલ્લાના ધોલેરા - તાલુકાના ભડિયાદ ખાતે આવેલી છે.અહીં દર વર્ષે રજબ - મહિનામાં ઉર્ષ ભરાય છે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી - કોરોના ગાઇડ લાઇન ને "ધ્યાનમાં લઇ ધામધૂમથી ઉર્ષની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી તેથી આ વર્ષે ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા ભડિયાદ દરગાહ ખાતે હાજરી આપીને દાદાના મજાર શરીફ ઉપર ચાદર પોશી કરવામાં આવી હતી. દરગાહના ખાદિમ દ્રારા ધારાસભ્યનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દરગાહના ખાદિમ સહિત ઉર્દૂ કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

રીપોર્ટર : સી કે બારડ પતંજલિ સ્ટોર

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.