દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયના વ્યાયામ શિક્ષક અને ભૂતપૂર્વ સુપરવાઈઝર તરફથી સમગ્ર શાળા પરિવારને ભોજન આપવામાં આવ્યું. - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયના વ્યાયામ શિક્ષક અને ભૂતપૂર્વ સુપરવાઈઝર તરફથી સમગ્ર શાળા પરિવારને ભોજન આપવામાં આવ્યું.


1992થી સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રાણાજી હાથીજી પઢિયાર સરકારના પર્વતમાન નિયમો અનુસાર 2023 24 ના સત્રાંતે નિવૃત્ત થઈ રહ્યા છે. પોતે જે ભૂમિ પર કર્મ કર્યું છે જેના લીધે માન સન્માન મળ્યું છે તે ભૂમિનો ઋણ ચૂકવવાનો એમને અનેરો અવસર મળ્યો છે. તે બદલ તેમણે આજરોજ સર ભવાનીસિંહ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને સમગ્ર સ્ટાફ પરિવારને સ્વાદિષ્ટ ભોજન આપ્યું હતું. એનએસએસ પ્રોગ્રામ ઓફિસરો અને એનએસએસના વિદ્યાર્થીઓના સાથ સહકારથી ભોજન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનસમારંભ પૂર્ણ થયા બાદ છેલ્લે શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી વિકે પ્રમાણે શાળા પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને આજના ભોજનદાતા એવા શાળાના ભૂતપૂર્વ સુપરવાઇઝર શ્રી રાણાજી હાથીજી પઢીયાર ને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.