યોગી ધામ સમઢિયાળા -1ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lhq2ae1hv4twdjiq/" left="-10"]

યોગી ધામ સમઢિયાળા -1ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો


યોગી ધામ સમઢિયાળા -1ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

પરમ પૂજ્ય શ્રી નિર્મળ સ્વામી ના સાનિધ્ય માં યોગી ધામ સમઢિયાળા -1 સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાયો હતો કે જ્યાં હજારો ભાવિક ભક્તો ની આસ્થા જોડાયેલી છે હજારો ભકતો ત્યાં દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ગુરુ પૂર્ણિમા ના દિવસે સવાર થી ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું હતું વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સહુ ભક્તો એ પ્રસાદી નો લાભ લીધો હતો ત્યારે હજારો ભાવિક ભક્તો એ આ અનેરા અવસર નો પ્રત્યેક્ષ લાભ લીધો હતો .પરમ પૂજ્ય શ્રી નિર્મળ સ્વામી પોતાના પ્રવચન માં
ગુરુપૂર્ણિમા એટલે ગુરૂઋણ માંથી મુક્ત થવાનો અવસર વૈદિક સંપ્રદાયમાં આજના શુભ દિને શિષ્યો પોતાના હૃદયના ભાવો ગુરૂચરણે સમર્પિત કરતા હોય છે.ગુરૂઋણમાંથી મુક્ત થવું અશક્ય છે છતા યતકિંચિત રાજીપો પ્રાપ્ત કરવા મથતા હોય છે.સનાતન ધર્મ નું મૂળ વેદ છે મોક્ષના માર્ગમાં સનાતન તત્વ એક પરબ્રહ્મ છે મોક્ષના માર્ગમાં સદ્ગુરુ મુખ્ય છે.સદ્ગુરુ વગર મોક્ષ અશક્ય છે.ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]