28મીએ PM મોદી રાજકોટ આવે તેવી શક્યતા, કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનરે તૈયારીઓની સમીક્ષા કરી - At This Time

28મીએ PM મોદી રાજકોટ આવે તેવી શક્યતા, કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનરે તૈયારીઓની સમીક્ષા કરી


મિશન 150 પ્‍લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્‍ટાર પ્રચારકો ખુંદી વળ્‍યા છે. રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્‍યનાથ, અનુરાગ ઠાકુર, સ્‍મૃતિ ઈરાની સહિત અને કેન્‍દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજયના ધારાસભ્‍યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્‍તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. તેમાં જ ભાજપના દિગ્‍ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હાલ એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે PM મોદી 28મીએ ફરી પ્રચાર માટે રાજકોટ આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં PM જનસભા સંબોધશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.