શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી - At This Time

શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી


શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે શાસ્ત્રીસ્વામીહરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.13-01-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી એવં અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.