શ્રી સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સુધી ૪થી પદયાત્રાનું આયોજન - At This Time

શ્રી સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સુધી ૪થી પદયાત્રાનું આયોજન


શ્રી સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સુધી ૪થી પદયાત્રાનું આયોજન. પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરેથી તા.૦૧-૦૧-'૨૪ ને સોમવારે સવારના ૬ વાગ્યે આરતીના દર્શન કરી પદયાત્રાનો આરંભ થશે.ત્યાંથી મનોહર સારોટી, તલાસડી, ભિલાડ,વાપી,વલસાડ,ચીખલી,નવસારી,સુરત,અંકલેશ્વર,ભરૂચ,પાદરા,ધર્મેશ - તારાપુર ,વટામણ,પીપળી, ફેદરા,ધંધુકા,બરવાળા, નિંગાળા,ગઢડા ( સ્વા.) , ઢસા, મેમદા થી સ્વયમ્ પ્રગટ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે ( તાલુકો - લાઠી ,દામનગર) તા.૨૭-૦૧-'૨૪ ને શનિવારે સવારના ૯ વાગે પહોંચશે.આ ૭૦૦ કી.મી.ની પદયાત્રામાં પદયાત્રીઓનું સ્વાગત - સન્માન થશે.આ પદયાત્રાનો હેતુ અને સંકલ્પ એવો છે કે વિશ્વનું ભલું થાય અને સર્વત્ર જીવ માત્રનું કલ્યાણ થાય,તે ઉદ્દેશ્ય સાથે આ યાત્રામાં જે ભક્તોએ જોડાવું હોય તેઓએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરના પુજારી શ્રી વિપુલબાપુ મો. ૯૭૭૩૦૮૫૭૩૧ અને ઉદયભાઈ ગોરડીયા મો.૮૭૭૯૭૯૬૭૮૨. પર સંપર્ક કરવો.તેમ એક યાદીમાં જણાવાયું છે.( અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.