"રાજગૃહ" બોટાદ ખાતે "વર્ષાવાસ" સમાપન કાર્યક્રમની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી - At This Time

“રાજગૃહ” બોટાદ ખાતે “વર્ષાવાસ” સમાપન કાર્યક્રમની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી


ગઈ કાલે તારીખ.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી બોટાદ જિલ્લા અધ્યક્ષ. ભારતીય બૌધ્ધ મહાસભા પરેશભાઈ રાઠોડ ના નિવાસસ્થાન "રાજગૃહ" કૈલાશનગર ખસ રોડ બોટાદ ખાતે ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા દ્વિતિય વર્ષાવાસ પર્વનું સમાપન કરવામાં આવેલ
આ પ્રસંગે તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉ.બાબાસાહેબના ફોટાને પુષ્પ અર્પણ પરેશભાઈ રાઠોડ અને પ્રભાબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલ દિપ પ્રાગટ્ય પી.એલ.મારૂ અને સુનિલભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ ત્યાર પછી બોધાચાર્ય.પરેશભાઈ રાઠોડ ઉર્ફે બોધીરાજ બૌધ્ધ દ્વારા ત્રીશરણ,પંચશીલ,બુદ્ધ વંદના કરવામાં આવેલ
ત્યારબાદ પ્રવિણભાઇ વાઘેલા દ્વારા ભારતીય બૌધ્ધ મહાસભા અને સમતા સૈનિક દળ નો પરિચય આપ્યો હતો અને વર્ષાવાસ સમાપન કાર્યક્રમની રૂપરેખા તેમજ સ્વાગત પ્રવચન સુનિલભાઈ ચાવડા રિલાયંસ ગેસ એજન્સી બોટાદ દ્વારા આપવામાં આવેલ
દ્વિતિય વર્ષાવાસ ધમ્મ પ્રવચન કાર્યક્રમ જેમનાં ઘરે રાખવામાં આવેલ હતું તેમનું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવેલ.
સમાપન કાર્યક્રમમાં હાજર રહેનાર સામાજિક કાર્યકરો અને આગેવાનોનું પણ સન્માન કરવામાં આવેલ
કાર્યક્રમના મુખ્ય મહેમાન પી.એલ.મારૂ દ્વારા સમતા સૈનિક દળમા જોડાઈને સુરક્ષિત સમાજનાં નિર્માણ માટે હાંકલ કરી
શિલ્પાબેન પરમાર દ્વારા માતા રમાઈ અને માતા સાવિત્રીબાઈ ફુલેના જીવન સંઘર્ષ વિશે પ્રવચન આપ્યું કે.ટી.મકવાણા દ્વારા અંધશ્રધ્ધા અને કુરિવાજો વિશે પ્રવચન આપ્યું
મહેશભાઈ ચાવડા દ્વારા સમતા સૈનિક દળમા જોડાઈને કેડરબાઝ કેવીરીતે બનવું તેનાં વિશે માહીતિ આપી પરેશભાઈ રાઠોડ દ્વારા ઉર્ફ બોધીરાજ બૌધ્ધ દ્વારા અશ્વિની પૂર્ણિમા અને અષ્ટાંગિક માર્ગ શીલ.સમાધી.પ્રજ્ઞા વિશે ધમ્મ પ્રવચન આપવામાં આવેલ
કાર્યક્રમનું સંચાલન બોધાચાર્ય.પરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ
કાર્યક્રમ નું સમાપન આભારવિધિ વિઠ્ઠલભાઈ મૌર્ય દ્વારા કરવામાં આવેલ
વર્ષાવાસ સમાપન કાર્યક્રમમાં સુજાતા ખીર અને સમુહ ભોજન કરેલ આ કાર્યક્રમમાં બૌધ્ધ ઉપાસક અને ઉપાસિકાઓ મોટી સંખ્યામાં હાજર રહીને ધમ્મ પ્રવચનનો લાભ લીધો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.