મહિસાગર : કડાણા તાલુકાના આંટલવાડા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના આંટલવાડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત કડાણા તાલુકાના આંટલવાડા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન, શ્રી અંબાલાલ પટેલ,મહામંત્રી શ્રી કે પી ડામોર, તાલુકા મંડળ ના પ્રમુખશ્રી જેન્તીભાઈ પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.