જુનાગઢ ખાતે શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી મકવાણા દંપતિના ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયા - At This Time

જુનાગઢ ખાતે શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી મકવાણા દંપતિના ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયા


આજ રોજ તા.25.09.2023,સોમવારના રોજ ગરવા ગીરનારની ગોદ અને ભક્ત નરસૈયાની ભુમી એવા જુનાગઢ(રહે.૧૦૨,શ્રીનગર સોસાયટી,ટીંબાવાડી બાયપાસ ચોકડીની બાજુમાં,મધુરમ વિસ્તાર)માં રહેતા મનુભાઈ ભોજાભાઈ મકવાણા(રિટાયર્ડ હે.પો.માસ્તર) અને તેમના ધર્મપત્નિ શાંતાબેન મનુભાઈ મકવાણા બન્ને સિનિયર સિટીઝન દંપતિએ જુનાગઢ ખાતે સજોડે ચક્ષુદાનનું સંકલ્પપત્ર ભરેલ છે.

ઉપરોક્ત દંપતિએ ચક્ષુદાન સંકલ્પપત્ર માટે શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકનો સંપર્ક કરેલ હતો. આથી શિવમ્ ચક્ષુદાન ગૃપ આરેણાના પરેશભાઈ ઘેરવડાએ ચક્ષુદાનના સંકલ્પપત્રનો સ્વિકાર કર્યો હતો.
આમ આજે બંન્ને દંપતિના ચક્ષુદાનના સંકલ્પપત્ર ભરાયા છે.
શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ આપના આ માનવકલ્યાણ અંગેના આ ઉમદા વિચારને બિરદાવે છે.અને આપ બંન્ને મકવાણા દંપતિને વંદન કરે છે.

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.