PM મોદીની 20મીએ સૌરાષ્ટ્રમાં 4 સભાને લઈ ખાસ વિમાનો સાથે SPG કમાન્ડોનું રાજકોટ એરપોર્ટ પર આગમન - At This Time

PM મોદીની 20મીએ સૌરાષ્ટ્રમાં 4 સભાને લઈ ખાસ વિમાનો સાથે SPG કમાન્ડોનું રાજકોટ એરપોર્ટ પર આગમન


વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. 20 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની ચાર જાહેર સભા યોજાશે અને ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે આજે રાજકોટ એરપોર્ટ પર ખાસ વિમાનો સાથે SPG કમાન્ડોનું આગમન થયું છે. આવતીકાલે રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલ રાજકોટમાં જનસભાને સંબોધશે. તેમજ કાલે જ મોરબી પંથકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી પ્રચાર કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.