બરવાળા તાલુકાના પોલારપુર ગામના યુવાનની લાશ મળી આવી, જૂની અદાવત માં ભરતભાઈ ભગુભાઈ બાટિયાની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે, પેનલ પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે હાલ પોલીસ દ્વારા કઈ પણ કહેવા ઈન્કાર કરાયો છે, પરિવારજનો દ્વારા હત્યા થઈ હોવાના આક્ષેપો - At This Time

બરવાળા તાલુકાના પોલારપુર ગામના યુવાનની લાશ મળી આવી, જૂની અદાવત માં ભરતભાઈ ભગુભાઈ બાટિયાની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે, પેનલ પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે હાલ પોલીસ દ્વારા કઈ પણ કહેવા ઈન્કાર કરાયો છે, પરિવારજનો દ્વારા હત્યા થઈ હોવાના આક્ષેપો


બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના પોલારપુર ગામના બસ સ્ટેન્ડ પાસે સવારે એક યુવાન ની લાશ મળી આવતાની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરતા આ લાશ ગામનાજ યુવાન ભરતભાઈ ભગુભાઈ બાટીયા નામના 40 વર્ષીયની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે લાશને પીએમ માટે બરવાળા હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે, પેનલ પી.એમ.કરવામાં આવ્યુ હતું.
બરવાળા તાલુકાના પોલારપુર ગામના રેલ્વે સ્ટેશન પાસે રહેતા 40 વર્ષીય ભરતભાઈ ભગુભાઈ બાટિયા જે છૂટક મજૂરી વ્યવસાય કરી પોતાના પરિવાર સાથે રહે છે. જૂની અદાવતમાં ભાઈની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ મૃતકના બંને ભાઈઓ દ્વારા કરેલ છે. ત્યારે પરિવારજનો ની માગ ઉઠવા માંગી છે કે હત્યા કરનાર આરોપી ને વહેલી તકે ઝડપી લેવામાં અને જ્યાં સુધી આરોપી નહિ ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહિ તેમ જણાવેલ આગેવાનોની જહેમત બાદ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયેલ છે અને તપાસ હાથ ધરેલ છે જો કે પોલીસે કઈ પણ કહેવાનું હાલ ટાળ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.