મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આદર્શ વિદ્યાલય ખાતે વય નિવૃત્તિ સન્માન સમારોહ - At This Time

મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આદર્શ વિદ્યાલય ખાતે વય નિવૃત્તિ સન્માન સમારોહ


મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આદર્શ વિદ્યાલય ખાતે વય નિવૃત્તિ સન્માન સમારોહ

તા.૦૩/૦૪/૨૦૨૪ ને બુધવારના રોજ ગુજરાતી વિષય મ.મૂ.કેન્દ્ર આદર્શ વિદ્યાલય બોટાદ ખાતે ગુજરાતી વિષયનાં સંયોજક ગંગાબહેનના વયનિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌ પરીક્ષકો દ્વારા શ્રીફળ-પડો તથા પુસ્તક અને સમીક્ષકો દ્વારા શાલ,સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.સમીક્ષક હિતેશભાઈ જોષી સાહેબ તથા મ.મૂ.કેન્દ્ર નિયામક સંજયભાઈ ધાધલ સાહેબ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.કલ્પેશભાઈ ચૌહાણ દ્વારા કવિશ્રી દયારામની ગરબી સુમધુર કંઠે પ્રસ્તુત કરવામાં આવી.અંતે આભાર વિધિ જગતભાઈ મોટાકા સાહેબ દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પારેખ લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.