બાબરા પંથક માં યુરિયા ખાતર ની કુત્રિમ તંગી થી ખેડુતો પરેશાન જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા રાજ્યપાલ સમક્ષ રજુઆત - At This Time

બાબરા પંથક માં યુરિયા ખાતર ની કુત્રિમ તંગી થી ખેડુતો પરેશાન જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા રાજ્યપાલ સમક્ષ રજુઆત


બાબરા પંથક માં યુરિયા ખાતર ની કુત્રિમ તંગી થી ખેડુતો પરેશાન
જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા રાજ્યપાલ સમક્ષ રજુઆત

બાબરા તાલુકા માં છેલ્લા આઠ દિવસ થી સતત વરસી ચૂકેલા વરસાદ બાદ ઉભાપાક ની તાતી જરૂરીયાત માટે જરૂરી ગણાતા યુરિયા પ્રોડક્ટ ના ખાતરો પુરતી માત્ર માં ઉપલબ્ધ નહિ થતા અને ખેડુતો યુરિયા ખાતર માટે બાબરા થી ૫૦ કિમી સુધી ના ગઢડા બોટાદ પાળીયાદ સુધી ખાતર માટે ભટકી રહ્યા ના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચર દ્વારા રાજ્ય સરકાર ની ગેરવ્યવસ્થા અંગે રાજ્યપાલ નું પત્ર દ્વારા ધ્યાન ખેંચ્યું છે
પત્ર માં જણાવ્યા મુજબ બાબરા પંથક સૌરાષ્ટ્ર માં કપાસ ઉત્પાદન અને મગફળી ઉત્પાદન માટે અવલ્લ રહે છે અને હાલ રાજ્ય માં વરસાદી આફત નો ખેડુતવર્ગ વધુ ને વધુ સામનો કરી ત્યારે ઉભા પાક માં પાણી લાગવા થી હાલ મોલાત ફેલ થવા ના ચિહ્નો વચ્ચે માત્ર રાસાયણિક યુરિયા એમોનિયા ખાતર દ્વારા પાક બચાવી શકાય તેમ છે ત્યારે અહીંના સરકારી સહકારી અને ખાનગી ખાતર ડેપો માં પુરતી માત્રા માં ખાતર ની આવક સ્ટોક નહિ હોવાથી ખેડુતો ખાતર માટે ભટકી રહ્યા છે આટલે થી અટકતું નથી ખેડુતો ખાતર મેળવવા ની લહાઈ માં નજીક ના જસદણ બોટાદ મોઢુકા પાળીયાદ સુધી વ્હેલી સવારે પહોંચી રહ્યા છે પરંતુ ખાતર નહિ મળવા થી વાહન ભાડા સહિત ના ખર્ચા માથે પડી રહ્યા છે
રાજ્ય ની ભાજપ સરકાર ખેડુતો ના હામી હોવાના પોકળ દાવા અને આગેવાનો ભાજપ મોવડી ના ગુણગાન કરતા થાકતી નથી આવા સમયે ખેડુતો ની જરૂયાત યુરિયા એમોનિયા ખાતર માટે ની વ્યવસ્થા કરવા માં મોઢું સીવી રહી છે ત્યારે આગામી દિવસો માં ખાતર મુદ્દે ખેડુતો નો રોષ રોડ ઉપર જોવા મળે તો નવાઈ નહિ તેવું શ્રી અશોકભાઇ ખાચર દ્વારા અંત માં જણાવ્યું છે

રિપોર્ટ દીપક કનૈયા બાબરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.