એચ.એચ. શેઠ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ શંકરભાઈ પટેલ નો વય નિવૃતિ કાર્યક્રમ સ્કુલમાં યોજાયો - At This Time

એચ.એચ. શેઠ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ શંકરભાઈ પટેલ નો વય નિવૃતિ કાર્યક્રમ સ્કુલમાં યોજાયો


મહીસાગર જિલ્લામાં આવેલ માલવણ ગામે આવેલ એચ.એચ. શેઠ હાઈસ્કૂલ માલવણમાં (માધ્યમિક વિભાગ) શ્રી. અરવિંદભાઈ શંકરભાઈ પટેલ નો વય નિવૃતિ કાર્યક્રમ ઉજવણી 30/10/2023 સોમવાર ના રોજ સ્કુલ ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યક્રમ નિમિત્તે માલવણ એજ્યુકેશન સોસાયટી ના ઉપ પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ વિ. શેઠ તથા કારોબારી સભ્ય શ્રી. વિ. એમ પટેલ તથા આચર્ય શ્રી. એચ.કે. જોશી તથા શાળાનો શૈક્ષણિક અને બિન શૈક્ષણીક સ્ટાફ તથા અગાઉ નિવૃત થયેલ ગુરુજનો તેમજ નિવૃત થતા શ્રી.એ એસ. પટેલ ના સગા સંબંધીઓની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

હતી. જેમાં આ કાર્યક્રમ માં નિવૃત થયેલ શિક્ષક નું આવેલ તમામ મહેમાનોએ વિવિધ ભેટ આપી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે નિવૃત થયેલ શિક્ષક શ્રી ને તમામ મહેમાનોએ આગળનું જીવન સુખમય શાંતિમય તંદુરસ્તમય રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અને અંતે કાર્યક્રમને ભોજન વિધિ લઈ પૂર્ણ કરવામાં આવ્યો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.