રાજકોટમાં ગોંડલથી હાનિકારક દ્રવ્યોની ભેળસેળ કરેલું 500 લીટર દૂધ વેચવાનું કૌભાંડ ઝડપાયું - At This Time

રાજકોટમાં ગોંડલથી હાનિકારક દ્રવ્યોની ભેળસેળ કરેલું 500 લીટર દૂધ વેચવાનું કૌભાંડ ઝડપાયું


રાજકોટ શહેરમાં નજીકના ગામોમાંથી ભેળસેળવાળા દૂધની સપ્લાય થતી હોવાની બાતમીને આધારે આજે મનપાની ફૂડ શાખાએ કોઠારીયા રોડ પર ગોંડલથી આવતી એક બોલેરો વાન ઝડપી હતી. જેમાં તપાસ કરતા હાનિકારક દ્રવ્યોથી યુક્ત 500 લીટર ભેળસેળીયું દૂધ વેચવાનું કૌભાંડ ઝડપાયું હતી. જેથી મનપા તંત્ર દ્વારા 500 લીટર દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મનપાના નાયબ કમિશ્નર આશિષ કુમારના જણાવ્યા અનુસાર આ દૂધના સેવનથી શરીર ઘાતકી બીમારીઓનું શિકાર બની જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.