સુરેન્દ્રનગર જિલ્લામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સંવિધાન દિવસની ઉજવણી નિમિતે એસ.પી કચેરી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાયબ મુખ્ય દંડક, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

બંધારણ દિવસની ઉજવણી નિમિતે પરિસંવાદ કાર્યક્રમમાં બંધારણના આમુખનું સમૂહ વાંચન કરવામાં આવ્યું.

૨૬ નવેમ્બરનો દિવસ દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ રોજ એસ.પી કચેરી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ હતી ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા યોજાયેલી "બંધારણ દિવસની આ ઉજવણી નિમિતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી એ.આર દેસાઈ સહિતનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પરિસંવાદનું આયોજન થયું હતું કાર્યક્રમને સંબોધતા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વનાં તમામ બંધારણોમાં સૌથી વિશિષ્ટ બંધારણ છે અને વિશ્વભરમાં આપણી ઓળખ બની છે તેઓએ બંધારણમાં ઉલ્લેખ કરાયેલા મૂળભૂત હકો, ફરજો અને અધિકારો બંધારણની શૈલી, બંધારણની ભાષા સહિતની વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતો આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કર્યા હતા બંધારણના સિધ્ધાંતો પ્રત્યે સજાગતા રાખી તેના અમલ માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ તેમ જણાવતા તેમણે બંધારણના સિદ્ધાંતોને જાળવવા મૂળભૂત ફરજોને નિભાવીને નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવી જોઈએ તેવી અપીલ પણ આ તબક્કે કરી હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે,ભારત લોકશાહીમાં માનનારો દેશ છે લોકશાહી માટે નાગરિકના હક, ફરજો વગેરે ખૂબ મહત્વ ધરાવે છે અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે વધુમાં તેઓએ ભારત દેશના નાગરિકે અધિકાર સાથે ફરજ નિભાવવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવ્યું હતું ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ આર. દેસાઈએ બંધારણના મહત્વ વિશે તેમજ પોસ્કો કેસોમાં ઈન્વેસ્ટીગેશનમાં ફરજીયાત ધ્યાને લેવાની વિગત અને આ કેસોમાં પુરાવાઓ એકત્ર કરવાની રીતે વિશે ચર્ચા કરી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડયાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંધારણ મૂળભૂત આધાર જણાવતા તેઓએ પણ બંધારણના મહત્વ વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા ઉપરાંત ઈન્વેસ્ટીગેશન માટે સામાન્ય અને મહત્વની બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી ઉપરાંત પરિસંવાદ કાર્યક્રમમાં એડિશનલ સીનીયર સિવિલ જજ બી.આઇ. તારાણીએ ધરપકડ તથા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવા અંગેના પ્રોડકશન રીપોર્ટ તેમજ રીમાન્ડ અરજી અંગે ધ્યાનમા લેવાની વિગતો વિશે, એડિશનલ સીનીયર સિવિલ જજ આર આર ઝીબા દ્વારા પોલીસ તપાસ તેમજ તપાસ દરમિયાન ધ્યાને લેવાના મહત્વના મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ઉપરાંત ઈલેક્ટ્રોનીકસ એવીડન્સ આઈ.ઓ. કલેકટ કરવા માટેની પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી નોંધનીય છે કે, મહાનુભાવોના વરદ હસ્તે સંવિધાન પુસ્તક તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ બંધારણના આમુખનું સમૂહ વાંચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા સરકારી વકીલ એમ.પી સંભાણી તથા આભાર વિધિ આર.પી.રાવલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બંધારણ તેમજ વિવિધ કાયદાકીય બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા,વકીલઓ, પોલીસ અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.