પાવાગઢ દર્શન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી રૂ . 1. 85 લાખની ચોરી. - At This Time

પાવાગઢ દર્શન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી રૂ . 1. 85 લાખની ચોરી.


વડોદરા શહેરના સમાં વિસ્તારમાં પાવાગઢ દર્શને ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા બે અજાણ્યા સિકલીગર સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા સહિત 1. 85 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા ફતેગંજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે o વડોદરા શહેરના સમા વિસ્તારના અભિલાષા ચાર રસ્તા પાસેની શરદપૂર્ણિમા સોસાયટી ખાતે રહેતા ગીરીશભાઈ મકવાણા સિક્યુરિટી માં ફરજ બજાવે છે . ગત 5 જુલાઈના રોજ મકાનને તાળું મારી પરિવાર સાથે પાવાગઢ માતાજીના દર્શન અર્થે ગયા હતા . બીજા દિવસે પાડોશીએ મકાનમાં ચોરી થયા અંગેની જાણ કરતાં તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા . તપાસ કરતા સિકલીગર બે અજાણ્યા શખ્સો મકાનમાં પ્રવેશી તિજોરીનું લોક તોડી સોનાની ચેન , સોનાના પાટલા , ચાંદીના ઝાંઝર , સોનાનું કડું , સોનાની વીંટી , સોનાનું લોકેટ , ચાંદીના બ્રેસલેટ , પ્લેટિનિયમ બ્રેસલેટ , રોકડા રૂપિયા 50 હજાર સહિત 1. 85 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.