જસદણ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલગાંધીના પુતળાનું દહન - At This Time

જસદણ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલગાંધીના પુતળાનું દહન


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે કરેલ નિવેદનના પગલે ભાજપમાં ચરમસીમાએ રોષ વ્યાપી ગયો હતો ભાજપની દરેક પાંખમાં રાહુલ ગાંધી વિરુદ્ધ જબરજસ્ત અભિયાનની શરૂઆતનો પ્રારંભ થઇ ગયો હતો શુકવારની સાંજે ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયકની સુચના મુજબ બક્ષીપંચ મોરચાના જીલ્લા તાલુકા અને શહેરના આગેવાનો નવીનપરી ગોસ્વામી, અશોકભાઈ ચાવ, ભાવેશભાઈ વેકરીયા,વિજયભાઈ રાઠોડ, અમરશી રાઠોડ, જયદીપભાઈ ચૌહાણ, દેવરાજભાઈ સરવૈયા, ગટુભાઈ ગીડા, મહેશભાઈ ડેકાણી, પંકજ બાવળીયા, ભરતભાઈ જાદવ, મનસુખભાઈ જાદવ, સંતોષભાઈ પરમાર સહિતનાં આગેવાનો શહેરના બાયપાસ પાસે એકત્ર થઇ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું આ અંગે જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે દેશ માટે લોહી પાણી એક કરનારા દેશનાં વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગે નિવેદન કરનારા રાહુલ ગાંધી કોઈ માફીને લાયક નથી કોંગ્રેસના હવે વળતાં પાણી છે ત્યારે ફ્કત હવાતિયા મારતાં રાહુલ દેશમાંથી પ્રજાએ એક ખરાં અર્થમાં જાકારો આપ્યો છે છતાં હીરો બનવા મથામણ કરી વડા પ્રધાન વિરુદ્ધ બોલવા લાગ્યા છે ત્યારે આગામી ચુંટણીમાં પ્રજા કૉંગ્રેસના મુળીયા પણ કાઢી નાખશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.