શેરીમાં બેઠેલી ગાયોને હટાવતા ભરવાડ યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો - At This Time

શેરીમાં બેઠેલી ગાયોને હટાવતા ભરવાડ યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા જિગરભાઇ દેવકરણભાઇ ડોંડા(ભરવાડ)(ઉ.વ.19)એ પોતાની ફરિયાદમાં સંજય સોહલા,ભુરાભાઇ બોળીયા,દાનાભાઇ શિયાળીયા અને અજાણ્યો એક ભરવાડનો છોકરાનું નામ આપતા તેઓ સામે મારામારીની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જીગર એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે 2હુ છુ અને કે.કે.વી હોલ પાસે જય સિયારામ ચા વાળા ની બાજુમા પાન ના ગલ્લે હુ નોકરી કરુ છે.પંદરેક દિવસ પહેલા મારા ઘર પાસે શેરીમા ગાયો બેઠેલ હોય હુ બાઇક લઇ નીકળતા ગાયો આડી બેઠેલ હોય જેથી મે ગાયો ને ઉભી કરી દૂર કરેલ જેથી આ ગાય ના માલીક સંજય સાહેલા સાથે મારે બોલાચાલી થયેલી જેમા અમારે સામધાન થયું હતું આ સંજય સાહેલા રાજકોટ માં અમીન માર્ગ ઉપર હીંગળજ નગર ચોક પાસે રહે છે અને તેને અમારા ઘર પાસે ગાયોનો વાળો છે.
ગઈ તા.06/11 ના રાત્રિના મારુ બાઇક લઈ મારા ઘર તરફ જતો હતો ત્યારે રૈયાધાર શાંતીનગરના ગઈટ પાસે પહોંચતા સંજય સાહેલા એ મને બોલાવતા હુ તેની પાસે ગયો ત્યારે આ સંજય સાહેલા તથા તેના મિત્ર ભુરો બોળીયા આ બન્ને ત્યા ઉભા હતા.જેમા સંજય સાહેલા મને જેમ ફાવે તેમ ગાળો આપી જાપટ મારી દિધેલ અને ભુરો બોળીયા આ બંને ત્યા ઉભા હતા.જેમા સંજય સાહેલા મને જેમફાવે તેમ ગાળો આપી જાપટ મારી દિધે લ અને ભુરો પણ ગાળો દેવા લાગેલ સંજય સાહેલા એ કોઇ ને ફોન કરતા થોડી વાર મા એક હોન્ડા મોટર સાઈકલ પર ધનાભાઈ ભોજાભાઈ શીયાળીયા તથા તેની સાથે એક બીજો ભરવાડ નો છોકરો હતો
આ બન્ને ત્યા આવી મને ગાળો આ પી ધનાભાઈ સાથે નો અજાણ્યો છોકરો તેની પાસે પાઈપ હતો તે મને પાછળ ના ભાગે વાસામા મારવા લાગ્યા હતા.તેથી મને મુંઢ ઈજા થઈ હતી અને ત્યાંથી હું ભાગી ગયો અને ત્યાથી નીકળતા મીત્ર ગોપાલ તથા શૈલેશ ધોળકીયા ને ફોન કરી બોલાવ્યો હતો તથા તેઓ આવી જતા સરકારી દવાખાના મા સારવાર માટે લાવી દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસે ફરિયાદની તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.