ગઢડા ગોપીનાથજી મંદિરે લાભ પાંચમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો - At This Time

ગઢડા ગોપીનાથજી મંદિરે લાભ પાંચમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો


આજે લાભ પાંચમના દિવસે ગોપીનાથજી મહારાજના દર્શન નો લાભ મળતા ભક્તોએ ધન્યતા અનુભવી

સ્વામિનારાયણ સંપ્રદાયનુ મુખ્ય તીર્થધામ એવા ગઢડામાં આવેલા ગોપીનાથજી દેવ મંદિરે લાભ પાચમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી લાભ પાચમનું મુહૂર્ત સાચવીયુ અને ભગવાનના દર્શન કરવા ધાર્મિક સ્થળોએ જઈને દેવ દર્શન નો લાભ લેતા હોય છે ત્યારે આજે પવિત્ર લાભ પાચમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમા દર્શન કરી લાભ પાચમનું મુહર્ત સાચવતા હોય છે બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ એવા ગોપીનાથજી મંદિરે આજે લાભ પાંચમ નિમિત્તે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. આજે પવિત્ર લાભ પાંચમના દિવસે ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિરે દર્શન માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી જ્યારે લાભ પાંચમના પવિત્ર દિવસે ભક્તોએ ગોપીનાથજી મહારાજના દર્શન કરી લાભ પાચમનું મુહર્ત સાચવીયુ અને આવતીકાલથી પોતાના ધંધા રોજગાર શરૂ કરશે તેમજ આજે પવિત્ર દિવસે ગોપીનાથજી મહારાજના દર્શન કરવાથી ભક્તો પોતાની જાતને ભાગ્યશાળી સમજી ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.