ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે અચુક મતદાન કરવા વિદ્યાર્થીઓએ શપથ લીધા - At This Time

ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે અચુક મતદાન કરવા વિદ્યાર્થીઓએ શપથ લીધા


ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે અચુક મતદાન કરવા વિદ્યાર્થીઓએ શપથ લીધા

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત હાલ સમગ્ર દેશમાં ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે.ત્યારે બોટાદ જિલ્લા અને તમામ તાલુકાઓમાં દરેક નાગરીક અવશ્ય મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે.વિવિધ જગ્યાએ મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાય છે.જે અન્વયે ગઢડા ખાતે દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજમાં મતદાન જાગૃતિને લગતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડામાં વિધાર્થીઓએ અચુક મતદાન કરવા શપથ લીધા હતાં.તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.