ગણેશ ચતુર્થી ના તહેવારને અનુલક્ષીને ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ જે એલ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

ગણેશ ચતુર્થી ના તહેવારને અનુલક્ષીને ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ જે એલ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ


ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ ની અધ્યક્ષતામાં ગણેશ ચતુર્થી ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થી ના તહેવારને અનુલક્ષીને ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિઓના વેપારીઓની તેમજ હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ આજુ બાજુ ગ્રામ પંચાયતના સરપંચો સાથે મીટીંગ યોજાઇ હતી પી.એસ.આઇ જે એલ પટેલ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ચતુર્થી મહોત્સવ તહેવારની ઉજવણી કરવી તેમજ જાહેરનામા મુજબ અમલવારી કરવા અને નક્કી કરેલા રુટ મુજબ ગણેશ વિસર્જન યાત્રા પસાર કરવી તેમજ ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા ગણેશ મંડળના આયોજકો તેમજ ગ્રામજનોને જરૂરી સૂચનો કર્યા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.