*ગંદકીને દૂર કરી ગામને સ્વચ્છ બનાવતા દિયોલીના ગ્રામજનો* - At This Time

*ગંદકીને દૂર કરી ગામને સ્વચ્છ બનાવતા દિયોલીના ગ્રામજનો*


*ગંદકીને દૂર કરી ગામને સ્વચ્છ બનાવતા દિયોલીના ગ્રામજનો*
***************
સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઇડર તાલુકાના દિયોલી ગામે ગ્રામજનો દ્વારા સફાઇ કરવામાં આવી હતી. દિયોલી ખાતે ગ્રામજનો દ્વારા ગામના જાહેર રસ્તાઓ,શેરી વિસ્તારમાં પડેલા કચરાને એકત્રિત કરીને ગંદકીને દૂર કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેંદ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરાયુ છે. આ અભિયાનમાં જિલ્લાવાસીઓ જોડાઇને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.