મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારનિ ઉપસ્થિતિમાં પ્રાંતિજ તાલુકાની ધડકણ, કરોલ-૧અને પુનાદરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરાઇ - At This Time

મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારનિ ઉપસ્થિતિમાં પ્રાંતિજ તાલુકાની ધડકણ, કરોલ-૧અને પુનાદરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરાઇ


મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારનિ ઉપસ્થિતિમાં પ્રાંતિજ તાલુકાની ધડકણ, કરોલ-૧અને પુનાદરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરાઇ
**********
શાળામાં બાળક પાંચ થી છ કલાક વિતાવે જ્યારે ઘરે વધુ સમય રહે છે તેથી માતા-પિતા, વડીલો બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપે
                                                                મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
 
      સાબરકાંઠા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના બીજા દિવસે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતો રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ તાલુકાની ધડકણ, કરોલ-૧અને પુનાદરમાં પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિત રહીને બાળકોનું આંગણવાડી તેમજ ધોરણ-૧માં નામાંકન કરાવ્યું હતું.
       આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આ સદી જ્ઞાન અને શિક્ષણની સદી છે. આજે દિકરીઓ શિક્ષણ ક્ષેત્રે ખુબ આગળ વધી રહી છે. શિક્ષણ થકી જ સમાજ આગળ આવે છે. લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાતની ધુરા સંભાળી ત્યારે તેમણે કન્યા કેળવણી માટે એમ કહ્યું હતુ કે હું ભિક્ષુક છું મારી જોળીમાં તમારી દિકરીના શિક્ષણ માટેનુ મને વચન આપો આમ કહી તેમણે દિકરીઓના શિક્ષણની ચિંતા કરી હતી. કારણ કે દિકરી બે કુળને તારે છે. દિકરો-દિકરી એક સમાન છે તેમણે શિક્ષિત કરો.   
       વધુમાં તેમણે જણાવ્યું કે, શાળાના શિક્ષકો વાલીઓ વધુ જાગૃત બની ગામનુ એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે તે ખાસ ધ્યાન રાખવામાં આવે.મોબાઇલના દૂષણ પરત્વે ધ્યાન દોરતા કહ્યું કે આજે બાળકો ગેમમાં વધુ સમય બેસી રહે છે. મેદાનની રમતો રમાતી ઓછી થઈ ગઈ છે. જેથી બાળકો નબળા પડી રહ્યા છે માટે મોબાઇલ ન આપતા અથવા એના માટે સમય મર્યાદા
નક્કિ કરવા જણાવ્યું હતું. શાળામાં બાળક પાંચ થી છ કલાક વિતાવે જ્યારે ઘરે વધુ સમય રહે છે તેથી માતા-પિતા, વડીલો બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપે.
     શાળા પ્રવેશ ઉત્સવની સાથે શાળાના તેજસ્વી તારલાઓનુ સન્માન અને ગામના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની એસ.એમ.સી.ની બેઠકમાં ગ્રામજનો દ્રારા રજુ કરવામાં આવેલ શાળાના, ગામના રસ્તા અંગેના અને પાણીના પ્રશ્નો મંત્રીશ્રીઓ ધ્યાનથી સાંભળ્યા હતા અને તેનો હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું.શાળામાં મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  
    આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબા ઝાલા, તાલુકા પંચાયત સભ્યશ્રી મધુબા ઝાલા, નિરૂબા ઝાલા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દિપ્તિબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મકવાણા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, એસ.એમ.સીના સભ્યો,શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકરરો, વાલીઓ, બાળકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.     
         
 
૦૦૦૦૦૦૦૦
 
   કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના બીજા દિવસે બી.આર.સી. ભવન પ્રાંતિજ ખાતે એક રિવ્યું બેઠક યોજાઇ હતી જેમાં શાળાને લગતા પ્રશ્નો, મધ્યાન ભોજન તેમજ બાળકોના ટ્રાસપોર્ટેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.