ઉત્તરાખંડમાં ભારે વરસાદ: દેહરાદૂનમાં વાદળો ફાટ્યા, ગામોમાં ચારેબાજુ તબાહીનો માહોલ - At This Time

ઉત્તરાખંડમાં ભારે વરસાદ: દેહરાદૂનમાં વાદળો ફાટ્યા, ગામોમાં ચારેબાજુ તબાહીનો માહોલ


- રાયપુર વિસ્તારમાં વરસાદને કારણે માલદેવતા ભાગમાં ભારે નુકસાન થયું છે- તેરાઈમાં સિતારગંજ, શક્તિફાર્મ, કિછા સહિત અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી સચોટ સાબિત થઈ હતીદેહરાદૂન, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર ઉત્તરાખંડમાં હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર સાંજથી હવામાનમાં પલટો આવ્યો હતો અને રાત્રી  દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી પડી હતી. ઋષિકેશ-દૂન હાઈવે પર રસ્તો ધોવાઈ ગયો હતો જ્યારે રાયપુર વિસ્તારના એક ગ્રામીણ ભાગમાં વાદળ ફાટવાને કારણે લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કવાયત 19 અને 20 ઓગસ્ટની મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યાથી શરૂ કરવી પડી હતી. માત્ર દૂન જ નહીં પરંતુ ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, ચંપાવત અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ભારે વરસાદને કારણે નદીઓ તણાઈ રહી છે જ્યારે અનેક જગ્યાએ હાઈવે ખોરવાઈ રહ્યા છે.રાયપુર વિસ્તારમાં વરસાદને કારણે માલદેવતા ભાગમાં ભારે નુકસાન થયું છે. કેટલાક ઘરોમાં પાણી ઘુસી ગયા ત્યારે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિસ્થિતી દરમિયાન SDRF અને વહીવટીતંત્રની ટીમોએ ગ્રામજનોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ મોકલ્યા હતા. અહીં ઋષિકેશ-દહેરાદૂન હાઈવે પર કામચલાઉ સિસ્ટમ પડી ભાંગી છે. જાખાણ નદી પરનો કામચલાઉ રોડ વહેતા થવાના કારણે રાણીપોખરી પોલીસે મોડી રાત્રે ભારે વરસાદમાં માર્ગને ડાયવર્ટ કર્યો હતો. નિર્માણાધીન બ્રિજ નાના અને ટુ વ્હીલર્સ માટે ખુલ્લો મુકવો પડ્યો હતો. રાયવાલા-ડોઈવાલાથી મોટા વાહનોને ડાયવર્ટ કરવા પડ્યા હતા.  - નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું દેહરાદૂનમાં સતત મુશળધાર વરસાદને કારણે ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે વહેતી તમસા નદીએ શનિવારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. માતા વૈષ્ણોદેવી ગુફા યોગ મંદિર ટપકેશ્વર મહાદેવનો સંપર્ક તૂટી ગયો છે આ સાથે જ ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે સોંગ નદીની જળ સપાટી પણ વધી રહી છે. તે જ સમયે નૈનીતાલ જિલ્લામાં રામનગર અને તેની આસપાસની નદીઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગી છે.શુક્રવારે ક્યારીમાં ખીચડી નદીમાં અચાનક ઉછાળો આવ્યો હતો. જોકે અહીં વરસાદ થયો નહોતો પરંતુ આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો. આ દરમિયાન નદીના રસ્તે જે પણ આવ્યું તે ધોવાઈ ગયું હતું. જોકે તે સમયે આ નદીમાં કોઈ નહોતું તેથી જાન-માલની કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી.- રસ્તાઓ, હાઈવે અને પર્વતો પર સંકટ ખતરનાક બની ગયુંદેહરાદૂનમાં અનેક રસ્તાઓ અને પુલ ધરાશાયી થવાની સાથે પહાડોમાં પણ ખરાબ સ્થિતિ છે. ચંપાવતમાં વરસાદને કારણે સ્વાલા-આમોડી વચ્ચેનો ટનકપુરથી ચંપાવત હાઈવે શુક્રવારે બપોરે 2 વાગ્યાથી પહાડી પરથી પથ્થરો પડતાં થંભી ગયો હતો. હાઈવે બંધ થવાના કારણે માર્ગની બંને બાજુ મુસાફરો અટવાયા હતા. એ જ રીતે ઉત્તરકાશીમાં ગંગોત્રી-યમુનોત્રી હાઈવે પણ ગત સાંજે પહાડી પરથી પડતા પથ્થરો વચ્ચે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ આ હાઈવેને ફરીથી બંધ કરવો પડ્યો હતો. યમુનોત્રી હાઈવે 48 કલાકથી વધુ સમયથી અટવાઈ ગયો છે.અહીં બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. કપકોટ તરફ જતા મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનને કારણે કપકોટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રસ્તો ખુલ્લો કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચમોલી જિલ્લામાં પણ શુક્રવાર રાતથી મુશળધાર વરસાદ ચાલુ છે અને કેટલાક રસ્તાઓ પ્રભાવિત થયાના અહેવાલ છે.- તેરાઈમાં થોડી રાહત થોડી આફતતેરાઈમાં સિતારગંજ, શક્તિફાર્મ, કિછા સહિત અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી સચોટ સાબિત થઈ હતી. અહીં વાતાવરણમાં પલટો આવતાં મુશળધાર વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે જ આકરી ગરમીના કારણે ડાંગરના પાકમાં પાણીની અછતની ખેડૂતોની ચિંતા દૂર થઈ હતી. જો કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા પરંતુ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એકંદરે ગરમીથી છુટકારો મેળવવાની સાથે સાથે ખેતી માટે પણ વરસાદ ફાયદાકારક જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.