ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી ગારિયાધાર ખાતે થશે - At This Time

ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી ગારિયાધાર ખાતે થશે


ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી ગારિયાધાર ખાતે થશે

રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે. મહેતાની અધ્યક્ષતામાં બેઠક મળી

આગામી તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૩ ની સ્વાતંત્ર્ય દિનની ભાવનગર જિલ્લા કક્ષાની ગારિયાધાર ખાતે થશે. જ્યાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

ઉજવણીની તૈયારી સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાએ આજે તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. કાર્યક્રમના સુચારૂ આયોજન માટે તેમણે વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી અને જરુરી માર્ગદર્શન આ બેઠકમાં આપ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી બી. જે. પટેલ, પ્રાંત અધિકારીશ્રી એચ. એમ. ઝણકાટ, ડી.વાય.એસ.પી. શ્રી આર. વી. ડામોર, પાલીતાણા ડી.વાય.એસ.પી. શ્રી મિહિર બારૈયા, , મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.