બાલાસિનોર કરણપુર પાસે પથ્થર ભરેલા ટ્રેકટરમાં બસ અથડાતા10 મુસાફર ને ઇજા - At This Time

બાલાસિનોર કરણપુર પાસે પથ્થર ભરેલા ટ્રેકટરમાં બસ અથડાતા10 મુસાફર ને ઇજા


મહીસાગર જિલ્લાના લુણાવાડા ના કાછરોટામાં રહેતા સંજ્યસિંહ બારીયા ટ્રેક્ટર ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે.ગુરૂવાર સવારે પાંચ વાગ્યાના અરસામાં તેઓ ટ્રેકટર-ટ્રોલી લઇ ભલાડા ગામે સફેદ પથ્થર ભરી બાલાસિનોર તરફ જવા નીક્ળ્યા હતા.દરમિયાન કરણપુર થી બાલાસિનોર તરફ જતા પાછળ આવતી ગુજરાત એસટીની બાલાસિનોર ડેપોની બસના ચાલકે સાઇડ કાપવા તા ટ્રોલીની પાછળ ધડાકાભેર અથડાતા અસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં બસના કંડકટર ગુલાબસિંહ ખાંટને પગમાં ઇજા પહોંચી હતી જ્યારે અન્ય મુસાફરોને શરીરે સામાન્ય ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં બાલાસિનોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર બનાવ અંગે બાલાસિનોર પોલીસે ટ્રેક્ટર ચાલક સંજ્યસિંહ બારીયાની ફરિયાદ આધારે બસના ચાલક ગોપાલસિંહ કરણસિંહ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.