દેવ ડેમમાંથી 7500 કયુ . પાણી છોડાતાં પાદરાના ગામો એલર્ટ . - At This Time

દેવ ડેમમાંથી 7500 કયુ . પાણી છોડાતાં પાદરાના ગામો એલર્ટ .


દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાલુકાના કોઠવાડા ગામમાંથી પસાર થતી નદીના પાણીના આવકમાં વધારો થતા પાદરાના હુસેપુર , વિરપુર , કોઠવાડા , મેઢાદ , કોટણા , ઠીકરીયા મુબારક સહીતના આઠ જેટલા ગામોના નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા રહીશોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી હતી . મામલતદાર વિજય આંટીયા , નાયબ મામલતદાર કે . જે . વસાવા તેમજ વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી પુરગ્રસ્ત ગામના 180 અને વીરપુરના 34 મળી કુલ 214 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.