નેત્રંગ માજી સરપંચના નિવાસ્થાને ફાગવેલ જતા પદયાત્રીઓ માટે છેલ્લાં ૧૩ વર્ષથી સતત ચા, પાણી અને નાસ્‍તાની સેવા... - At This Time

નેત્રંગ માજી સરપંચના નિવાસ્થાને ફાગવેલ જતા પદયાત્રીઓ માટે છેલ્લાં ૧૩ વર્ષથી સતત ચા, પાણી અને નાસ્‍તાની સેવા…


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૨૧/૧૧/૨૦૨૩

નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના નિવાસ્થાને ફાગવેલ જતા પદયાત્રીઓ માટે છેલ્લાં ૧૩ વર્ષથી સતત ચા, પાણી અને નાસ્‍તાની સેવા ઊભી કરવામાં આવી રહી છે.

નેત્રંગ ટાઉનમાં આવેલ અમરાવતી નદી કિનારે રહેતા અને ભાથુજી મહારાજના ઉપાસક કલમભાઈ વસાવાના પુત્ર અને નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાલુભાઈ કલમભાઈ વસાવા દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી નેત્રંગ, દેડિયાપાડા અને મહારાષ્ટ્ર તરફથી ફાગવેલ જતા સંઘો માટે સતત ચા, પાણી અને નાસ્‍તાની સેવા પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૧૫ જેટલા પદયાત્રીઓએ આ સેવાનો લાભ લીધો. આ પદયાત્રીઓ નેત્રંગ અમરાવતી નદી કિનારે પૂર્વ સરપંચ બાલુભાઈ વસાવાના નિવાસ્થાને પોહંચતા તેઓનું સ્વાગત કરી પૂંજા કરવામાં આવે છે. અને એક ભક્તિમય વાતાવરણ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.