દાઉદી વ્હોરા સમાજમાં કાલ રવિવારથી રમઝાન માસનો પ્રારંભ: એક માસ સુધી બિરાદરો અલ્લાહમય બની જશે - At This Time

દાઉદી વ્હોરા સમાજમાં કાલ રવિવારથી રમઝાન માસનો પ્રારંભ: એક માસ સુધી બિરાદરો અલ્લાહમય બની જશે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દાઉદી વ્‍હોરા સમાજમાં ઇસ્‍લામ ધર્મમાં અતિ પવિત્ર લેખાતો પાક રમઝાન માસનો કાલ રવિવારથી મિસરી કેલેન્‍ડર મુજબ પ્રારંભ થઇ રહયો છે ત્‍યારે રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્‍દ્રનગર, જસદણ, સહિતની તમામ વ્‍હોરા મસ્‍જિદો નમાઝીઓથી ગુંજી ઉઠશે. રવિવારે પ્રથમ રોજું હોય ત્‍યારે સૌરાષ્‍ટ્રના પ્રત્‍યેક વ્‍હોરા બિરાદરો રોઝા નમાઝ ઝકાત જેવા અનેક ઇસ્‍લામી નેકકાર્યોમાં સામેલ થઇ સળંગ એક માસ સુધી અલ્લાહમય બની જશે. દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમાં દાઇ(સર્વોચ્‍ચ ધર્મગુરૂ) ડો.સૈયદના અબુ જાફરૂસ્‍સાદિક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ(ત.ઉ.શ.) વિખ્‍યાત તીર્થધામ ગુજરાતના મહેસાણા જીલ્લાના ચાણસ્મા તાલુકાના દેનમાલ આવેલ હસનફિર સાહેબની દરગાહમાં પવિત્ર રમઝાનના પ્રથમ દસ દિવસ ગાળવાના માટે પહોંચી ગયા છે ત્યારે સૌરાષ્‍ટ્રમાંથી બહોળી સંખ્‍યામાં વ્‍હોરા બિરાદરો ત્યાં પહોંચી ગયાં છે અને અને હજું વધું વ્હોરા બિરાદરો પહોંચી તેમનાં સાનિઘ્યમાં દસ દિવસ ગાળશે દરમિયાન રમઝાનમાસમાં અલ્લાહમય બની પોતાની ફરજ અદા કરશે રાજકોટમાં છ મસ્‍જિદો અને નાના મોટા હોલ સહિત ૧૫ જગ્‍યાએ નમાઝ થશે આ અંગે આખરી ઓપ અપાઈ ચુક્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.