માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા "માનવ પ્રતિભા સન્માન" સમારોહ - At This Time

માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા “માનવ પ્રતિભા સન્માન” સમારોહ


ભાવનગર માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા "માનવ પ્રતિભા સન્માન" સમારોહ તા.7 જાન્યુઆરી ના રોજ શ્રી અટલ બિહારી બાજપાઈ હોલ માં યોજાય ગયો... આ પ્રસંગે શહેરના હજારો વિધાર્થીઓ તથા ઔધોગિક કામદારોને.. આપત્તિ નિવારણ તાલીમ . સાથે જોડનાર શ્રી હરીશભાઈ માનભાઈ ભટ્ટનું માનવ અધિકાર આયોગના અધ્યક્ષશ્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યા હતું.... ભાવનગરના  દ્રષ્ટિ સંપન્ન ઉદ્યોગપતિ સ્વ શ્રી ક્રાંતિસેન ભાઈ શ્રોફ ના શતાબ્દી વર્ષે અને વાઘ બકરી ફાઉન્ડેશનના સૌજન્યથી યોજાયેલ 50થી વધુ શિબીરો દ્વારા શહેરના બાળકોને આપત્તિ નિવારણ તાલીમ આપનાર હરીશભાઈ ભટ્ટ નું યોગદાન અનન્ય રહ્યું છે.. ત્યારે માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ શ્રી રવિ કુમાર ત્રિપાઠી , યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી તથા શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રી કીર્તિબહેન દાણીધારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં  શિશુવિહારના મુક સેવકનું અભિવાદન  નવી પેઢી માટે પ્રેરણાદાયી બને છે....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.