નાગનેશ ગામે ગઈકાલે ધોધમાર કરા સાથે વરસાદ પડ્યો,ખેતરમાં ભરાયાં પાણી - At This Time

નાગનેશ ગામે ગઈકાલે ધોધમાર કરા સાથે વરસાદ પડ્યો,ખેતરમાં ભરાયાં પાણી


નાગનેશ ગામે ગઈકાલે ધોધમાર કરા સાથે વરસાદ પડ્યો, ખેતરમાં પાણી ભરાયાં

રાણપુર તાલુકાના નાગનેશ ગામે ગઈકાલે રાત્રિના સમયે ધોધમાર કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે નાગનેશ ગામની અંદાજે 400 વિઘા જેટલી જમીનો પર પાણી ફરી વળ્યા છે અને 24 કલાક જેટલો સમય વિતવા છતાં પણ પાણીનો નિકાલ થયો નથી.જેથી કપાસ,વરીયાળી,જીરૂ,ઘઉં,જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો પાયમાલ થયા છે અને ખેતીનો પાક નિષ્ફળ ગયોછે અને લાખોરૂપિયા નું નુકશાન થયું છે. જેથી ખેડુતો હવે સરકાર ઉપર આશા રાખીને બેઠા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.