બાલાસિનોર નોંધ ના મંજુર કરવા મામલે સર્કલ ઓફિસરને મામલતદારે ખુલાસો પૂછ્યું - At This Time

બાલાસિનોર નોંધ ના મંજુર કરવા મામલે સર્કલ ઓફિસરને મામલતદારે ખુલાસો પૂછ્યું


બાલાસિનોર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરની ફરજ બજાવતા બી.ટી પરમાર દ્વારા અરજદારોની જમીન ફેરફારની નોંધ સ્પષ્ટ અને સચોટ કારણ વગર નામંજુર કરતા હોવાની બૂમ ઉઠી હતી. અરજદારો દ્વારા ઘણા સમયથી આ બાબતે બુમ સંભળાઈ રહી હતી.

સતત ખોટી રીતે નોંધ નામંજૂર થતા અરજદારોને નાયબ કલેક્ટરની કચેરીએ અરજી કરવાની ફરજ પડી હતી. જેના પગલે અરજદારોના રૂપિયા અને સમય બગડતો હતો. આ બાબતની રજૂઆત મામલતદાર ધવલ મદાતને મળતા નાયબ મામલતદાર તથા સર્કલ ઓફિસર બી.ટી પરમારને નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર બાબતે મામલતદા૨ ધવલ મદાતએ જણાવ્યું હતું કે નાયબ મામલતદાર ખોટી રીતે અરજદારોની નોંધ નામંજૂર કરવા હોઈ તેમની પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.