વલ્લભીપુર પોલીસને મળેલ નવજાત જીવીત બાળકીના વાલી વારસની ભાળ મેળવવા પ્રજા જોગ જાહેર અપીલ - At This Time

વલ્લભીપુર પોલીસને મળેલ નવજાત જીવીત બાળકીના વાલી વારસની ભાળ મેળવવા પ્રજા જોગ જાહેર અપીલ


વલ્લભીપુર પોલીસ સ્ટેશન જી.ભાવનગરના પાટણા-રાજગઢ રોડ ઉપર આવેલ શેરવા પીરની દરગાહમા ગઇતા.૦૧/૧૧/ ૨૦૨૩ ના ક.૧૨/૩૦ પહેલા કોઈપણ સમયે ખુલ્લી જાહેર જગ્યામાથી આશરે સાત દિવસની ઉમરની દિકરી (બાળકી) એક લાલ કલરની ચુંદડી તથા રૂમાલમા સુવડાવેલ તથા બ્લ્યુ કલરનુ કાળા પટ્ટા વાળુ ટી-શર્ટ પહેરેલ હાલતમા કોઇ અજાણી વ્યક્તિ બીનવારસી અસુરક્ષીત રીતે ત્યજી દિધેલ છે જેના ફોટોગ્રાફ નીચે મુજબ છે જેથી આપના આજુ બાજુના રહેણાક વિસ્તારમા સાત દિવસમા કોઇના ઘરે તાજી દિકરી (બાળકી)જન્મેલ હોય અને હાલમાં તે તેના ઘરે હાજર ના હોય તો વલ્લભીપુર પોલીસ સ્ટેશન જી.ભાવનગરના પી.એસ.આઇ. પી.ડી.ઝાલા ના નીચે જણાવેલ મો.= ૯૮૭૯૫૦૦૮૫૦ ઉપર જાણ કરવા પ્રજા જોગ આપીલ કરવામા આવે છે માહિતી આપનારનુ નામ અને સરનામુ ગુપ્ત રાખવામા આવશે. પી.ડી.ઝાલા પો.સબ.ઇન્સ.મો.નં.૯૮૭૯૫૦૦૮૫૦ વલ્લભીપુર પોલીસ સ્ટેશન

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.