લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા - At This Time

લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા


લુણાવાડા નગરમાં દર વર્ષે આનંદ ઉલ્લાસભેર ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ગણેશ ચતુર્થી પૂર્વે જ નગરમાં વિવિધ વિસ્તારના ગણેશ મંડળો દ્વારા ભગવાન શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા યોજાઈ હતી. ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં વિવિધ વિસ્તારમાં કુલ 31 જેટલા મોટા સ્થાપન પંડાલોમાં "ગણપતિ બાપા મોરિયા..."ના જયઘોષ સાથે બાપ્પાની પધરામણી કરવામાં આવી છે. ત્યારે આજે સમગ્ર નગરમાં ગલીએ ગલીએ ગજાનંદની ધૂન ગુંજી છે. શહેરમાં દસ દિવસ આનંદ ઉલ્લાસભેર ગણેશજીની સેવા પૂજા કરવામાં આવશે. ત્યાર બાદ નગરના ઐતિહાસિક કિશન સાગર તળાવ ખાતે મૂર્તિ વિસર્જન યોજાશે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.