બોટાદની જ્ઞાનદીપ વિદ્યાલયમાં આજ રોજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ કુંભના સામૈયા કરવામાં આવ્યા - At This Time

બોટાદની જ્ઞાનદીપ વિદ્યાલયમાં આજ રોજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ કુંભના સામૈયા કરવામાં આવ્યા


બોટાદની જ્ઞાનદીપ વિદ્યાલયમાં આજ રોજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ કુંભના સામૈયા કરવામાં આવ્યા

આજરોજ તારીખ 11/1/2024 ને ગુરૂવારના રોજ જ્ઞાનદીપ વિદ્યાલય બોટાદમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ અને શ્રીરામ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કળશ કુંભની પધરામણી સવારે 7:45 મિનિટે કરવામાં આવી હતી તેમાં શાળાના સંચાલક,આચાર્ય,સ્ટાફ ગણ તેમજ બાળકો દ્વારા આનંદ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને શાળાની બાળાઓ દ્વારા કળશનું સામૈયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને રામ સ્તુતિ અને હનુમાન ચાલીસા નું પઠન પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આનંદ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી અને તે જ ઉત્સાહપૂર્વક અક્ષત કળશ કુંભને શાળાના પ્રાંગણ માંથી વિદાય આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.