જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ દ્વારા તાલુકા કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર ગોધરા ખાતે યોજાશે - At This Time

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ દ્વારા તાલુકા કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર ગોધરા ખાતે યોજાશે


.

ગોધરા

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા તારીખ:૨૭-૦૭-૨૦૨૨ એ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી નીલકંઠ કોલેજ, કાલોલ તથા ૨૯-૦૭-૨૦૨૨ એ સવારે:૧૦:૦૦ કલાકે ધી કૃષિકાર માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા.મોરવા હડફમાં મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે તાલુકા ક્ક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે.
જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધોરણ.૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ (તમામ ટ્રેડ), ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા મહિલા તથા પુરુષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી,બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્ર માં રોજગારીની તક આપવામાં આવશે.
આ ભરતીમેળામાં પંચમહાલ,વડોદરા જીલ્લાના નોકરીદાતા દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ તેમજ લાયકાત અને અનુભવ મુજબની સેલ્સ ,ઓફીસ એક્ઝીક્યુટીવ,મશીન ઓપરેટર,લાઈન ઓપરેટર,ટ્રેની,હેલ્પરની જગ્યાઓ માટે નોકરીદાતા દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવશે. ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માંગતા અને રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા તથા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચૌહાણે એક અખબારી યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.