કીડીને કણ... ને હાથીને મણ.... "કર્મનો સિદ્ધાંત" સેવાય યજ્ઞ ગ્રુપ - At This Time

કીડીને કણ… ને હાથીને મણ…. “કર્મનો સિદ્ધાંત” સેવાય યજ્ઞ ગ્રુપ


૭૦૧/- નાળિયેર માં કીડીયારુ

સીતારામ ગૌશાળા તથા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ તથા
થાનગઢના સેવાકીય ગ્રુપો તથા સેવાકીય લોકો દ્વારા
દર માસની અગિયારસ ના દિવસે

સુકા નાળિયેરમાં કીડીયાળુ પૂરીને જંગલ વીડ વિસ્તારમાં કીડીઓ માટે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે.
જેમાં આજરોજ બાંડિયા બેલી વીડમાં સેવકો દ્વારા 701 નાળિયેર મૂકવામાં આવી રહ્યા છે..
જેમાં થાનગઢના ધર્મપ્રેમી લોકો તરફથી
સૂકા નાળિયેર, તેલ, ખાંડ,
લોટ, ઘી વગેરે સામગ્રીનું દાન મળેલ છે.
આમ થાનગઢના અલગ અલગ સેવાકીય ગ્રુપોના સહયોગથી અને સેવાભાવી દાતા તરફથી દાન મળતું હોવાથી
અમારા ગ્રુપ દ્વારા દર મહિને અગિયારસના દિવસે
સૂકા નાળિયેર માં કીડીયારુ પુરી ને મુકવાનું નક્કી કરેલ છે.
ગયા માસે 351 નાળિયેર મુકેલા ..
આ સેવાયજ્ઞમાં સૌ લોકો હોંશે થી જોડાય છે ,અને તન મન ધન થી સાથ સહકાર આપે છે તેવા સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ.... જય વાસુકી દાદા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.