ધંધુકાના અડવાળ ગામે બી.એ.પી.એસ સત્સંગ અને શાકોત્સવનું આયોજન કરાયુ. - At This Time

ધંધુકાના અડવાળ ગામે બી.એ.પી.એસ સત્સંગ અને શાકોત્સવનું આયોજન કરાયુ.


અમદાવાદ જીલ્લાના ધંધુકાના અડવાળ બી.એ.પી.એસ સત્સંગ મંડળ ધ્વારા સત્સંગ સભા અને શાકોત્સવનું ભવ્ય આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતુ. વિશાળ સંખ્યામાં સત્સંગ અને શાકોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ધંધુકાના અડવાળ બી.એ.પી.એસ અક્ષર પુરૂષોત્તમ સત્સંગ મંડળ ધ્વારા અડવાળ ખાતેના શ્રી લક્ષ્મણદાદાના સમાધિ સ્થાન ખાતે ભવ્ય સત્સંગ સભા અને શાકોત્સવનું સફળતા પૂર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ભક્તિસાગર સ્વામી એ કથાવાર્તા સત્સંગ સભામાં વર્ણવી હતી.કથા પ્રસંગે મુનિ સેવા સ્વામિ ધનશ્યામ પ્રિય સ્વામી તથા અમૃત સેવક સ્વામિએ હાજરી આપી હતી અને આર્શીવચન આપ્યા હતા. ભક્તિસગાર સ્વામીએ પ્રેરક પ્રવચન કથાવાર્તાનું રસપાન કરી સત્સંગીઓ એ વિશાળ સંખ્યામાં સાંભળી હતી. કથા બાદ ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયુ હતુ. અડવાળ ગામના વડીલો,યુવાનો સત્સંગી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ખડે પગે રહી સેવા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સત્સંગ સભા પ્રસંગે ધંધુકા સત્સંગ મંડળે પણ હાજરી આપી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.