આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ધો.10 અને ધો.12નો વિદાય કાર્યક્રમ યોજાયો - At This Time

આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ધો.10 અને ધો.12નો વિદાય કાર્યક્રમ યોજાયો


આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ધો.10 અને ધો.12નો વિદાય કાર્યક્રમ યોજાયો

તા.04-03-2023ને શનિવારના રોજ આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ધો.10 અને ધો.12નો
વિદાય કાર્યક્રમ યોજાયો હતો. કે.જી તથા ધો.1 થી 9ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને
પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ હર્ષ અને શોકની લાગણીઓ
અનુભવી હતી. કાર્યક્રમના અંતે બધા જ વિદ્યાર્થીઓને સંસ્થા પરિવાર તરફ્થી અલ્પાહાર આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન શાળાના ડાયરેક્ટશ્રી સંજયભાઈ એચ. શેખલીયા, સંચાલકશ્રી બિપીનભાઈ એચ. શેખલીયાની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.