જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વસંતપંચમી ની ઉજવણી કરવામાં આવી........ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વસંતપંચમી ની ઉજવણી કરવામાં આવી……..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વસંતપંચમી ની ઉજવણી કરવામાં આવી........
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બળવંતપુરા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં વસંતપંચમી ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સરસ્વતી માતાનો ફોટો મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી તરફથી શાળાને ભેટ તરીકે આપવામાં આવ્યો . તેની પૂજા અર્ચના કરવામાં આવી. જેમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, રાજેશ્રીબેન રહેવર, કામિનીબેન, રિદ્ધિબેન, ફાલ્ગુનીબેન, ગીતાબેન, રેખાબેન તથા સુધાબેન, નીલમબેન અને આંગણવાડીની બહેનો હાજર રહી. રાજશ્રીબેન દ્વારા વસંતપંચમી નું મહત્વ સમજાવવામાં આવ્યું. રાજેશ્રીબેન તરફથી ફ્રુટ વિતરણ પણ કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.